(1) ભગવાન શ્રી ઋષભદેવ - તેર મહિના અને દસ દિવસ ના લગાતાર ઉપવાસ.
(2) વજ્રાયુઘ ચક્રી (મુનિ) - બાર મહિના ના ચૌવિહાર ઉપવાસ. (શ્રી શાંતિનાથ ભગવાન નો પૂર્વ ભવ)
(3) નંદન મુનિ - ૧૧૮૦૬૪૫ માસક્ષમન (શ્રી મહાવીર પ્રભુનો પચ્ચીસ મો ભવ )
(4) શ્રી ચંદકેવલી - ઉત્કૃષ્ટ વર્ધમાન તપ આરાધના.
(5) બહુબલીજી - બાર મહિનાના ચૌવિહાર ઉપવાસ.
(6) સુંદરી સતી - ૬૦હજાર વર્ષ (બે કરોડ ૧૯ લાખ ૬૦ હજાર લગાતાર) આયંબીલ.
(7) સનત ચક્રવર્તી - ૭૦૦ વર્ષનું ઘોર તપ .
(8) વિષ્ણુ કુમાર મુનિ - છ હજાર વર્ષ ઘોર વીર તપ.
(9) નંદીષેણ મુનિ - વૈયાવચ્ચ ની સાથે ૫૪૦૦૦ વર્ષ છઠ્ઠ ના પારણે છઠ્ઠતપ કર્યાં.(વસુદેવ નો પૂર્વભવ)
(10) બલભદ્ર મુનિ - ૧૧૫ વર્ષ છ મહિના અખંડિત તપ.
(11) ગૌતમ સ્વામી - ૩૦ વર્ષ છઠ્ઠ ના પારણે છઠ્ઠતપ કર્યાં.
(12) ઢંઢણ મુનિ - છ મહિના ના ઉપવાસ.
(13) ધન્ના શાલિભદ્ર - બાર વર્ષ છ મહિના માસક્ષમન.
(14) જંબુ સ્વામી - બાર વર્ષ છ મહિના છઠ્ઠ ના પારણે આયંબીલ.
(15) ધન્ના કાકંદી - જાવજ્જીવ છઠ્ઠ ના પારણે આયંબીલ.
(16) શિવકુમાર - સાડા બાર વર્ષ છઠ્ઠ તપ પારણે આયંબીલ.
(17) શ્રી કૃષ્ણ સુરીશ્વરજી - એક વર્ષ ઉગ્ર તપ પારણા ફક્ત ૩૪.
(18) શ્રી વીરાચાર્ય - જીવન પર્યંત અઠ્ઠાઈ અને છ વિગઈ ત્યાગ.
(19) શ્રી જગચંદ્રસુરિ - સાડા બાર વરસ લગાતાર આયંબીલ.
(20) શ્રી સિદ્ધસેન દિવાકરસુરિ - આઠ વરસ અખંડ આયંબીલ.
(21) શ્રી વર્ધમાનસુરિ - વર્ધમાન તપની ૧૦૦ ઓળી.
(22) ચંપા શ્રાવિકા - છ મહિના ના ઉપવાસ.
(23) ભગવાન શ્રી મહાવીર સ્વામી - સાડા બાર વર્ષની ઘોર તપશ્ચર્યા પારણા ફક્ત ૩૪૯.
Post a Comment
Note: only a member of this blog may post a comment.