શ્રી વર્ધમાન સ્વામી અનેક વખત અહીં પધાર્યા હતા અને દસમું ચાતુર્માસ કર્યું હતું.પ્રસિદ્ધ રાજા પ્રસેનજિત પણ અહીના હતા. આજ નગરમાં પ્રભુ વીર પર ગોશાળાએ તેજોલેશ્યાનો પ્રયોગ કર્યો હતો. તેમજ રેવતી શ્રાવિકા જે ભાવિ ચોવીશીમાં તીર્થંકર થવાના છે, તેમણે શ્રી વર્ધમાન સ્વામીને લક્ષપાક તેલ વહોરાવ્યું હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શ્રી કેશી ગણધર સાથે તથા શ્રી મહાવીર સ્વામીનું શ્રી ગૌતમ સ્વામી સાથેનું મિલન આ નગરીએ જોયેલું છે અને તેમની તાત્વિક ચર્ચાઓ સાંભળી છે. વિવિધ તીર્થ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરીએ આ નગરમાં રત્ન જડિત જિનાલયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તથા તેનું અપરનામ 'મહિડ' જણાવ્યું છે. મણીભદ્ર યક્ષના પ્રભાવથી આ નગરનાં દરવાજા સાયં આરતી પછી સ્વયં બંધ થતા અને સૂર્યોદય થતાં ખૂલી જતાં.
શ્રી સંભવનાથ સ્વામીની અહીના જિનાલયમાં મૂળનાયક તરીકે 51"ની ભવ્ય પ્રતિમા છે.
Post a Comment
Note: only a member of this blog may post a comment.