♣ ત્રણ પ્રકાર ના જીવ :-
(1) ભવ્ય - મોક્ષ જવાની યોગ્યતા વાળો ....
(2) અભવ્ય - મોક્ષ માં જવાની અયોગ્યતા, તે જીવ ક્યારેય મોક્ષમાં જવાનો નથી, દ્રવ્ય ચારિત્રથી તે નવગ્રૈવેયક સુધી જઈ શકે છે,સમ્યક્ત્વ ક્યારેયપ્રાપ્ત નહિ થવાથી તે અનુત્તર વિમાન અને મોક્ષમાં ના જઈ શકે.
(3) જાતિ ભવ્ય- મોક્ષ જવાની યોગ્યતા હોવા છતાં તેવા પ્રકારની સામગ્રી ના અભાવથી ના જઈ શકે.તે હમેશ સુક્ષ્મનિગોદ સ્વરૂપ અવ્યવહાર રાશીમાં જ રહે છે, વ્યવહારરાશી માં ક્યારેય આવે નહિ, અને તે અનંતાનંત પુદગલ પરાવર્ત કાળ સુધી ત્યાંજ રહે માટે તેને જાતિ ભવ્યજીવ કહેવાય છે.
♣ ત્રણ પ્રકાર ના વૈરાગ્ય :- (1) દુ:ખ ગર્ભિત વૈરાગ્ય (2) મોહ ગર્ભિત વૈરાગ્ય અને (3) જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય.
♣ ત્રણ પ્રકાર ના ગારવ :- (1) રસ ગારવ (2) ઋદ્ધિ ગારવ અને (3) શાતા ગારવ .
♣ ત્રણ પ્રકાર ના શાશ્વત સૂત્ર :- (1) નવકારમંત્ર (2) કરેમિભંતે અને (3) નમુત્થુણં.
♣ ત્રણ પ્રકાર ના તત્વ :- (1) દેવતત્વ (2) ગુરૂ તત્વ અને (3) ધર્મતત્વ.
♣ ત્રણ પ્રકાર ના રત્ન :- (1) સમ્યગ દર્શન (2) સમ્યગ જ્ઞાન અને (3) સમ્યગ ચારિત્ર.
♣ ત્રણ પ્રકાર ના યોગ :- (1) મન યોગ (2) વચન યોગ અને (3) કાય યોગ.
♣ ત્રણ પ્રકાર ના દંડ :- (1) મનદંડ (2) વચનદંડ અને (3) કાયદંડ.
♣ ત્રણ પ્રકાર ની ગુપ્તિ :- (1) મનગુપ્તિ (2) વચનગુપ્તિ અને (3) કાયગુપ્તિ.
♣ ત્રણ પ્રકાર ના લોક :- (1) ઉર્ધ્વલોક (2) અધોલોક અને (3) તિર્છાલોક.
♣ ત્રણ પ્રકાર ના વંદન :- (1) થોભ વંદન (2) ફેટા વંદન અને (3) દ્વાદશાવર્ત વંદન.
Post a Comment
Note: only a member of this blog may post a comment.