કૌશામ્બી

Friday 28 December 20120 comments


શ્રી પદ્મપ્રભ પ્રભુના ચાર કલ્યાણકો - ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ પાવન ભૂમિ પર થયા હતા. ભગવાન મહાવીર પણ અનેક વાર અહી વિચર્યા હતા. આ એજ પાવન ભૂમિ છે, જ્યાં પ્રભુ મહાવીરનો કઠોર અભિગ્રહ મહાસતી ચંદનબાળા દ્વારા પાર પડ્યો. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થતાં જ દેવદુંદુભીનો નાદ થયો હતો અને દેવોએ સવા લાખ સોનૈયા અને પુષ્પોની વૃષ્ટિ કરી. સતી ચંદનબાળાની બેડીઓ તૂટી, શિર પર વાળ સાથે દેવમુકુટ ધારણ થયું અને શરીર અનેક આભુષણોથી સજ્જ થયું. સતી ચંદનબાળાએ પ્રભુ પાસે ત્યાં જ દીક્ષા ગ્રહણ કરી અને પ્રભુની પ્રથમ શિષ્યા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું.

અત્યારે અહીં પદ્મપ્રભ પ્રભુનું જિનાલય છે. જિનાલયમાં પદ્મપ્રભ પ્રભુની સુંદર મૂર્તિ છે.
Share this article :

Post a Comment

Note: only a member of this blog may post a comment.

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. જિનભક્તિ - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger