♣ જીરણ શેઠની જેમ ઉપાશ્રયમાં જઈને ગોચરી વહોરાવવી જોઈએ.
♣ નયસાર - ધન્ના સાર્થવાહ સુપાત્ર દાનથી જ સમ્યક્ત્વ પામ્યા હતા.
♣ દાન શ્રદ્ધાપૂર્વક, દાનની મહત્તા સમજીને,સ્વાર્થવૃત્તિ વગર આપવું. એથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય અને ઉત્કૃષ્ટ નિર્જરા થાય છે.
♣ ગોચરીના સમયે શ્રાવકના ઘર ખુલ્લા હોય, શ્રાવક વાટ જોતો હોય. કારણ સાધુ બેલ વગાડી નાં શકે, અને ઘર બતાવવા નોકર કે પુજારી નહિ ખુદ શ્રાવકોએ જવું જોઈએ.
♣ 'ધર્મલાભ' સંભળાય ત્યારે ઉભા થઈને વિનયપૂર્વક "પધારો......પધારો" બોલવું.
♣ પાટલા ઉપર થાળી મૂકી તેમાં મહરાજ સાહેબનું પાત્ર મુકાવવું.
♣ ઘરના તમામ સભ્યોએ લાભ લેવો. સંસ્કાર પડે માટે નાના છોકરાઓ પણ વહોરાવે.
♣ મહરાજ સાહેબ પધારે ત્યારે લાઈટ-પંખો-ટી.વી.-ગેસ-રેડિયો બંધ-ચાલુ ના કરાય.
♣ ગોચરીના સમયે ટી.વી.-રેડિયો અવશ્ય બંધ રાખવા જોઈએ.
♣ કાચા પાણીથી હાથ ધોવા નહિ. નવા વાસણ-ચમચા બગાડવા નહિ. ઢોળાય નહિ તે રીતે વહોરાવવું.
♣ મેનુની જેમ બોલીએ તો મહરાજ સાહેબને માંગીને વહોરવું પડે, માટે વિનંતી કરીને વહોરાવતા જવું.
♣ ચંપલ પહેરીને વહોરાવવું અવિનય છે.
♣ કેળું અડધું જ વહોરાવવું. છાલ પૂરી ઉતારવી નહિ.
♣ રસોઈ બનાવતા પહેલા મહરાજ સાહેબને યાદ કરવા નહિ અને બનાવ્યાપછી ભૂલવા નહિ.
♣ સ્પે. આધાકર્મી ગોચરી - મહરાજ સાહેબને ઉદ્દેશીને નિષ્કારણ બનાવવી નહિ. રસોઈ બનાવતી વખતે મહરાજ સાહેબને નજરમાં રાખીને વધુ ના બનાવાય.
♣ શાકભાજી, ફ્રુટ વગેરે વનસ્પતિ, કાચું પાણી, અગ્નિ વગેરેને અડીને વહોરાવાય નહિ.
♣ ગરમ દૂધ વગેરે ફુંક મારીને વહોરાવાય નહિ.
Post a Comment
Note: only a member of this blog may post a comment.