♣ ચંદ્રગુપ્ત મૌર્યના સોળ સ્વપ્નોનું ફળ વ્યવહાર સૂત્રચુલીકામાં આચાર્ય શ્રી ભદ્રબહુસ્વામીએ બતાવ્યું છે.
ક્રમ
|
સ્વપ્ન
|
ફળ
|
1
|
કલ્પવૃક્ષની તૂટેલી ડાળ
|
રાજા દીક્ષા નહીં લે.
|
2
|
અકાળે સુર્યાસ્ત
|
કેવળજ્ઞાન વિચ્છેદ થશે.
|
3
|
ચારણી બનેલો ચંદ્રમા
|
જુદી જુદી સમાચારી થશે.
|
4
|
ભૂત નાચતા જોયા
|
મિથ્યાત્વ મતનો પ્રચાર વધશે(પોતાની જાતને ભગવાન કહેવડાવીને લોકોને ભરમાવશે).
|
5
|
બાર ફણાનો નાગ
|
મોટા બાર દુષ્કાળ પડશે.
|
6
|
દેવવીમાન પાછું વળ્યું
|
જંઘાચારિણીની લબ્ધીનો વિચ્છેદ થશે.
|
7
|
ઉકરડામાં કમળ
|
બધી કોમ વ્યાપારી બનશે.
|
8
|
ઘોર અંધારું
|
નવા-નવા ધર્મો ઉગી નીકળશે.
|
9
|
ત્રણ દિશામાં સરોવર સુકાઈ ગયા છે.
|
ધર્મ ત્રણ દિશામાં ખાસ નહીં રહે. દક્ષિણ દિશામાં રહેશે.
|
10
|
સોનાની થાળીમાં કૂતરો ખાય છે.
|
લક્ષ્મી નીચના ઘરે વાસ કરશે.
|
11
|
વાંદરો હાથીને ચલાવે છે.
|
હાથી જેવા ભારત દેશ ઉપર વાંદરા જેવા ચંચલ નેતાઓ રાજ કરશે.
|
12
|
સમુદ્ર મર્યાદા તોડીને તારાજી સર્જશે(કંડલામાં અને બેંગ્લોરમાં સમુદ્રે હાહાકાર મચાવી દીધો હતો).
|
ઘરમાં દીકરો-દીકરીઓ મર્યાદા નહીં સાચવે. વહુઓ સાસુઓને હેરાન કરશે, સ્ત્રીઓ સંસ્કૃતિની ઉત્તમ મર્યાદાઓને બંધન માનશે. મર્યાદાહીન જીવન પધ્ધતિ ચારે કોર તારાજી સર્જશે.
|
13
|
ગધેડા ઉપર રાજકુમાર
|
રાજાઓ ઉત્તમ એવા જૈન ધર્મને છોડીને અન્ય ધર્મ સ્વીકારશે.
|
14
|
ઝાંખા રત્નો જોયા
|
ભરત ક્ષેત્રમાં સાધુ-સાધ્વીના મનમેળ ઓછા હશે.
|
15
|
વિશાળ રથને નાના વાછરડાઓ ખેંચે છે.
|
જૈન શાસનની ધુરાને નાના-નાના સાધુઓ વહન કરશે. લગ્ન કરેલા દીક્ષા લેનારા ઓછા મળશે.
|
16
|
મહાવત વગરના હાથી લડે છે.
|
માંગ્યા મેહ વર્ષે નહીં.
|
ગુડનાઈટ રાત્રી પ્રવચનો - આચાર્ય શ્રી વિજય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ.સા.
Post a Comment
Note: only a member of this blog may post a comment.