મહાભારત(વ્યાસજી કૃત)માં પાંડવોને આવેલા પાંચ સ્વપ્નો અને તેનું શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલું ફળ કથન દર્શાવવામાં આવેલું છે .
પહેલાં કહેતા હતા -
"માતા તીરથ પિતા તીરથ, તીર્થ હૈ ગુરુબાંધવા;
વચ્ચે વચ્ચે સાધુ તીરથ, સબ તીરથ અભાગ્યતા."
હવે કહે છે -
"સાસુ તીરથ સસરા તીરથ, તીરથ સાળા-સાળી;
વચ્ચે વચ્ચે સાળી તીરથ, સબ તીરથ ઘરવાળી."
પાંડવોના નામ
|
સ્વપ્ન
|
ફળ
|
યુધિષ્ઠિર
|
સફેદ હાથી બે મોઢે ખાય છે.
|
આજના કળીયુગના નેતાઓ સરકાર અને પ્રજા એમ બંનેના ખજાના ખાલી કરશે.
|
ભીમ
|
ગાય વાછરડાનું દુગ્ધપાન કરે છે.
|
માતા-પિતાઓને દિકરાઓની ગરજ કરવી પડશે.પાણી પણ પૂછીને પીવું પડશે, એક નવો પૈસો પણ ધર્મમાં પૂછ્યા વગર વાપરી નહીં શકે.
|
અર્જુન
|
કાગડાઓ કૃષ્ણ - કૃષ્ણ કરે છે.
|
કળીયુગમાં ધર્મના નામે ઠગનારા વધશે. ધર્મના નામે ધતિંગ વધશે. (જન્માષ્ટમી, નવરાત્રિ આદિમાં નાચ-ગાનની કેટલી વિકૃતિઓ પેસી ગઈ છે!!!)
|
નકુલ
|
ત્રણ કુંડમાં વચ્ચેનું કુંડ ખાલી છે, પહેલા કુંડમાંથી ઉછળીને ત્રીજા કુંડમાં પાણી જાય છે.
|
માતા-પિતા કરતા સાસુ-સસરા વધુ વહાલા લાગશે. ભાઈ ભૂખે મરશે, ભાઈબંધ લહેર કરશે. બહેનને ધિક્કારશે, સાળા - સાળીને સત્કારશે.
|
સહદેવ
|
પ્રલય પવનથી ડુંગરાના શિખરો તૂટીને પડે છે.
|
એક વિશાળ શિલા તણખલાના કારણે પડતાં અટકી ગઈ. કળીયુગમાં મોટા તપ-જપ નાશ પામશે. પ્રભુ નામનું સ્મરણ પતનથી બચાવશે.
|
પહેલાં કહેતા હતા -
"માતા તીરથ પિતા તીરથ, તીર્થ હૈ ગુરુબાંધવા;
વચ્ચે વચ્ચે સાધુ તીરથ, સબ તીરથ અભાગ્યતા."
હવે કહે છે -
"સાસુ તીરથ સસરા તીરથ, તીરથ સાળા-સાળી;
વચ્ચે વચ્ચે સાળી તીરથ, સબ તીરથ ઘરવાળી."
ગુડનાઈટ રાત્રી પ્રવચનો - આચાર્ય શ્રી વિજય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ.સા.
Post a Comment
Note: only a member of this blog may post a comment.