રાજસ્થાનમાં આવેલું આ તીર્થ બામણવાડાજી તીર્થથી 6 કિ.મી. દુર છે. પૂર્વે આ તીર્થ નંદીગ્રામ, નંદીવર્ધનપુરા, નંદીપુરા વગેરે નામોથી ઓળખાતું હતું. એક દંત કથા પ્રમાણે આ ગામ ભગવાનના મોટા ભાઈ નંદીવર્ધન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. જિનાલયમાં જે શીલાલેખો છે તેમાં પણ વિ.સં. 1130 થી 1210 વચ્ચેના સમયનો ઉલ્લેખ કરેલ છે. અહીં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીજીની પદ્માસનાસ્થ મૂર્તિ 210 સેં.મી. ઉંચી અને મનમોહક છે. કહેવાય છે કે આ મૂર્તિ પ્રભુ શ્રી મહાવીરસ્વામીના સમયની છે. તેથી જ તો એનો જાદુ એવો છે કે પ્રભુ શ્રી મહાવીરસ્વામી હાજરાહજુર લાગે છે.
આ તીર્થનો સમયે સમયે જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. આ તીર્થ સિવાય અહીં બીજા કોઈ મંદિરો આવેલ નથી.પણ એવું લાગે છે કે પૂર્વમાં આ સ્થળ ખુબ જ સમૃદ્ધ હતું. ધરણા શાહ અને રત્ના શાહ કે જેમને રાણકપુર તીર્થ બધાવ્યું હતું તે પણ અહીંના જ વતની હતા.
Post a Comment
Note: only a member of this blog may post a comment.